| सा विद्या या विमुक्तये |
શારદામંદિર બાલમંદિર

બાલમંદિર ફોટો ગેલરી

વર્ષ ૨૦૧૫-૧૬

વર્ષ ૨૦૧૪-૧૫

ભણતર સાથે ઘડતર

બાલમંદિરમાં પ્રવેશ

બાલમંદિર એ બાળક માટે જીવન ઘડતરનું પ્રથમ પગથિયું છે. માનો વ્હાલસોયો ખોળો છોડીને આવતા બાળકને મા જેવી જ મીઠી માવજત મળે અને યોગ્ય દેખરેખ થાય એવો શિક્ષકગણ કે જે માની ગરજ સારે, જે અમારા બાલમંદિરમાં છે. અનુભવી શિક્ષકગણ દ્વારા મોન્ટેસોરિ પદ્ધતિથી ભાષા તેમજ ગણિતનું જ્ઞાન અપાય છે. રમતા રમતા બાળક ભણતા શીખી જાય છે.

સમયની સાથે કદમ મિલાવવા અંગ્રેજી ભાષાની કેળવણી પણ જરૂરી બની છે. જેને લીધે ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાનું જ્ઞાન મળી રહે એ માટે ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમ ચલાવાય છે.

અમારા બાલમંદિરમાં બાળક પ્રથમ સ્થાને છે એને યોગ્ય માવજત મળે અને સુંદર જીવનઘડતર થાય એવું આયોજન છે. સારા અક્ષર, સુંદર જીવનઘડતરની નિશાની છે એ વાત સમજાવી માતૃભાષાનું મરોડદાર અક્ષરોમાં લેખન કરાવાય છે. આમ બાળકનો સર્વાંગી વિકાસ થાય એ અમારું લક્ષ્ય છે.

  • પ્રવેશ માટેની યોગ્યતા બાળકની ઉંમર 3 વર્ષ હોવી જોઈએ.
  • વિશાળ ક્રિડાંગણ તથા ભૌતિક સુવિધાઓ
  • રમતગમતના સાધનો
  • મોન્ટેસોરિ પદ્ધતિથી શિક્ષણ
  • શાળામાં જ તૈયાર કરેલ પૌષ્ટિક નાસ્તો
  • અનુભવી શિક્ષકગણ દ્વારા દરેક બાળકની વ્યક્તિગત દેખરેખ
  • ભારતીય સંસ્કૃતિના તહેવારોની બાળકો દ્વારા થતી ઉજવણી
  • શૈક્ષણિક તેમજ જોવાલાયક સ્થળોની મુલાકાત
  • શાળાના વિભાગો
  • શાળાનો સમય ૮.૩૦ થી ૧૨.૧૦
  • Download Brochure / બાળમંદિરનું બ્રોશર - ડાઉનલોડ કરવું

    શારદામંદિર નવનિર્માણ

  • Shardamandir Nav Nirman
    • Overview & Details
    • Brochure
    • Project Architect
    • Contributions, Donations
    • Shardamandir Alumni Registration
    • Questions?